વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 81 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

સાહિત્ય

સાહિત્ય સમાચાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશનના ઉપક્રમે કાવ્યધારા પ્રસ્તુત કરે છે - કાવ્ય મહોત્સવ - 2011

કવિઓ : અનિલ જોષી, પ્રફુલ નાણાવટી, ધુની માંડલીયા, રાજેશ વ્યાસ મિસ્કીન, દક્ષા પટેલ , વંચિત કુકમાવાલા, તથાગત પટેલ , પંચમ શુક્લ અને કૃષ્ણ દવે

સમય: સાંજે 6 વાગે, શનિવાર,

તારીખ:22-01-2011

સ્થળ : ગુજરતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ

નિમંત્રક : કૃષ્ણ દવે,સંયોજક કાવ્યધારા

સંપકૅ : 9426563338, 9426378995

ઈમેલ : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

છેલ્લા પંદર વરસથી શિકાગો આર્ટ સર્કલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતના પ્રચાર તેમ જ પ્રસાર માટે કાર્યરત રહ્યું છે. ત્રીસેક જેટલાં ગુજરાતી સાહિત્ય અને સંગીતનાં જડબેસલાક પ્રેમીઓ શિકાગો આર્ટ સર્કલમાં સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યાં છે. શિકાગો આર્ટ સર્કલે ગુજરાતી કવિ સંમેલનો, નાટકો અને સંગીતના વૈવિઘ્યભર્યા અનેક કાર્યક્રમોનું ખૂબજ સફળતાપૂર્વક આયોજન કર્યું છે જેમાં શિકાગો વિસ્તારના સાહિત્ય અને સંગીતના રસિકો તેમજ ઉદાર પ્રોત્સાહકોએ અમૂલ્ય સહકાર આપેલ છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

Harnish Jani

 

મિત્રો- મને જણાવતા આનંદ થાય છે કે મુરબ્બી શ્રી હરનિશભાઈ જાનીને નિબંધ સંગ્રહ "સુશીલા" ૨૦૦૯ માટે ગુજરાતી સાહિત્ય પરિષદે- જ્યોતિન્દ્ર દવે પારિતોષિકથી સન્માનિત કર્યા છે.

પારિતોષિક વિશે પુછતાં હરનિશ ભાઈ  જણાવે છે કે, “મારી દ્રષ્ટિએ,આ પારિતોષિક કોઇ પણ હાસ્ય લેખક માટે  ઉચ્ચતમ સન્માન ગણાય. એનું મને ગૌરવ છે.અમેરિકન ગુજરાતીના નાતે વધુ આનંદ થાય .એ સ્વાભાવિક છે. આમાં તમારો ઘણો ફાળો  છે. તમે લોકોએ જુદી જુદી રીતે કાયમ પ્રોત્સાહિત કર્યો છે અને ગાઇડ કર્યો છે. આપનો ખૂબ આભાર-. હજું હું એવો મોટો લેખક નથી બન્યો કે જે આ એવોર્ડ પાછો આપી દઉં. એટલે સહર્ષ સ્વીકાર્યો છે.”

તા.ક. આ પુસ્તક તમે મેળવીને જાતે ચકાશી જુઓ કે આ પારિતોષિકને યોગ્ય છે કે નહીં ? ભારતમાં આ પુસ્તક હર્ષ પ્રકાશન અમદાવાદ પાસેથી મળી શકશે.અથવા કોઇપણ બુકસ્ટોર મેળવી આપશે .અને યુ.એસ.એ.માં હરનિશનભાઈ પાસેથી લેવાજોડો-Phone-609-577-7102.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



'ધબકાર-મુંબઈ' દ્વારા  ૧૯મી કાવ્ય ગોષ્ઠી તથા ગઝલ સમ્રાટ શયદા સાહેબના ૧૧૮મા  જન્મદિન નિમિત્તે  ' શયદા - ઉત્સવ' નું આયોજન થયું છે.

દિનાંક ૨૪.૧૦.૨૦૧૦ રવિવારના સાંજે ૪.૩૦ કલાકે,

ગ્રાંટ્રરોડ મધ્યે ચેતન ફ્રેમવાલા,
૧૧ સી અભિલાષા,
૪૬ ઑગસ્ટ ક્રાંતિ માર્ગ,
ગોવાલિયા ટેન્ક ગ્રાન્ટ રોડ વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૩૬ 

આ ગોષ્ઠીની અધ્યક્ષતા જાણીતા ગઝલકાર  શ્રી નયનભાઈ હ. દેસાઇ કરશે..  શયદા સાહેબ ની અમર ગઝલોને યુવા ગાયકો કંઠ આપશે. સૌ કવિ મિત્રો તથા કવિતા પ્રેમીઓ ને આ ગોષ્ઠીમાં પધારવાનું ભાવ ભર્યું આમંત્રણ છે.

વધુ માહિતી માટે ચેતન ફ્રેમવાલાનો સંપર્ક કરવો.  Cell - ૯૩૨૦૦ ૩૩૭૨૨.


Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries