આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સુરત મહાનગરપાલિકાના ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે સાંજે બરાબર ચાર વાગ્યે નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય, ઘોડદોડરોડ, સુરત ખાતે "ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠી" યોજવામાં આવશે.
આ કાવ્યગોષ્ઠીમાં કોઈ પણ કવિ પોતાની રચના લઈ ઉપસ્થિત રહી શકશે. જાણીતા કવિઓ આ રચનાઓ વિશે ચર્ચા-ટિપ્પણી કરશે.
સર્વ કવિમિત્રો તથા જાહેર જનતાને હૃદયપૂર્વક આમંત્રણ છે...
પહેલી ગૂફ્તેગુ : 3 ફેબ્રુઆરી, રવિવારના રોજ બરાબર સાંજે ચાર વાગ્યે
કવિઓને વિનંતી કે નિમ્નલિખિત પંક્તિઓમાંની કોઈ એક પંક્તિ પર કાવ્યરચના કરી આવે:
1) નવા જમાનાની હવામાં આમ આવ નહીં
2) આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે
3) જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે
4) ના, નહીં આવું, મળવાને નહીં આવું (ગીતરચના)
આ સિવાય પોતાની તાજી સ્વરચિત કાવ્યકૃતિનું પણ સ્વાગત છે.
વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો:
વિવેક મનહર ટેલર (૯૮૨૪૧૨૫૩૫૫)
http://facebook.com/guftegu
-
કવિ કલાપીZazi.com © 2009 . All right reserved |
Read more...