વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 158 guests and no members online

મદદ

 


 



રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

બધબકાર મુંબઈ ની આગામી કાવ્ય ગોષ્ઠી, એક એવા ગઝલકાર કે જેમણે માનહર ઉધાસને ગુજરાતી ગઝલ ગાતા કર્યા - એ કૈલાસ પંડિતની યાદમાં,



ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.

ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

-કૈલાસ પંડિત



 

દિ. ૨૦ મી નવેમ્બર સાંજે ૪ કલાકે

ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને,

ગ્રાંટ રોડ,મુંબઈ ખાતે યોજાશે,

આપ સૌને પધારવા ભાવ ભર્યુ આમંત્રણ છે.

આપ કોઈ પાસે કૈલાસભાઈનો ફોટો હોય તો જરૂર ઈમેલ કરશો.

વધુ માહિતી માટે સંપર્ક - ૯૩૨૦૦૩૩૭૨૨

 

જય ગુર્જરી.

Zazi.com © 2009 . All right reserved