વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 32 guests and no members online

મદદ

 


 



રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

પૂર્વી ગજ્જર

સીડની,ન્યુ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલીયા

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

Pandit Jawaharlal Nehruસ્વતંત્ર ભારતનાં ઇતિહાસ, ભારતિય રાજકારણની ભૂગોળ અને વર્તમાન ભારતનાં સમાજ જીવનમાં જો કોઇ એક નામ કોમન હોય તો તે છે જવાહરલાલ નહેરુ. ભારતની સ્વંતંત્રતા, દેશનાં વહીવટની સત્તા અને રાજકિય મહત્ત્વકાંક્ષા જેવાં દરેક મોરચે અગ્રણી રહીને જવાહરલાલ નહેરુએ ભારતની જન્મ કુંડળીમાં પોતાનું સ્થાન કાયમી કરી લીધું છે. અને એટલે જ નહેરુ માત્ર એક વ્યક્તિત્ત્વનું નહિ પણ એક યુગનું નામ છે. એક એવો યુગ જેમાં ભારતે સ્વતંત્રતાનો શ્ર્વાસ લીધો, ભવિષ્ય તરફ પગલાં માંડ્યા અને આંખ ઉંચી કરીને ગૌરવભેર દુનિયાને પોતાનાં સામર્થ્યની ઓળખ આપી. તે સમયે સાથે હતાં કરોડો ભારતવાસીઓ, રાષ્ટ્રને વફાદાર વિચારશીલો,ગાંધીજીનું નેતૃત્ત્વ,સરદાર વલ્લભભાઇની વચનબધ્ધતા, ભીમશંકર આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને લાલબહાદુર શાસ્ત્રી જેવા રાષ્ર્ટહિતેચ્છુઓ.ભારતની આવતીકાલ ઉજળી કરવાનાં આ મોરચાનું પ્રતિનીધીત્ત્વ કર્યું, જવાહરલાલ નહેરુએ. 15 ઓગસ્ટ, 1947માં વડાપ્રધાન તરીકે શપથ લઇને અઢળક જવાબદારીઓથી લદાયેલી આ સત્તા સ્વીકારી ત્યારે જવાહરલાલ નહેરુની મુખ્ય શક્તિ હતી તેમનું વ્યક્તિગત સામર્થ્ય, દીર્ઘ દ્રષ્ટિ અને રાજકિય મહત્ત્વકાંક્ષા. જેણે જવાહરલાલ નહેરુને માત્રને માત્ર એકે ઓળખ આપી, પ્રખર રાજકારણીની.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

દેશ હોય કે પરદેશ, જયાં ગુજરાતી છે ત્યાં ગુજરાતી ભાષાનું સ્થાનિક પબ્લીકેશન હોવું જ જોઇએ. આ મારો વ્યક્તિગત મત છે અને જરુરિયાત પણ. કારણ હું ગુજરાતી છું. મારી પહેલી ઓળખ મારું ગુજરાતીપણું છે. સમાજ કે દેશ કોઇ પણ હોય, નાગરિક ક્યાંયનો પણ હોય, એક માણસની ઓળખ તેનાં કપડાં કે ખોરાક નહિ પણ ભાષા છે. પરદેશમાં આવીને આપણી ઓળખ વૈશ્ર્વિક બની જાય છે, પણ તેથી આપણી મૂળ ઓળખ મટી નથી જતી. વળી ગ્લોબલ વલ્ડમાં હોવાનાં કારણે આપણને આખી દુનિયામાં શું થાય છે તે ખબર છે પણ આપણે જ્યાં છીએ તે સીડની કે ઓસ્ટ્રેલિયાનાં ગુજરાતી સમાજમાં શું થાય છે તે નથી ખબર. ઇન્ટરનેટ પર ભારતનાં છાપાં કે સામયિકો નાં વાંચીએ તો આપણને આપણાં ગામમાં કે શહેરમાં શું થાય છે તે પણ ખબર નથી પડતી. એટલે ના તો આપણે જ્યાં છીએ ત્યાંની આપણને ખબર છે કે ના તો આપણને જ્યાંથી આવ્યાં છીએ ત્યાંની ખબર છે. આ સ્થિતીમાં મને મારું વૈશ્ર્વિક હોવું ખટકે છે જેણે મારું વિશ્ર્વ નાનું કરી નાંખ્યુ છે. અહીં બધું જ મળે છે, સિવાય કે લખાયેલું અને છપાયેલું ગુજરાતી, જે વાંચીને જ આપણી સવાર પડતી હતી.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries