વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 23 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

નરેશ કે.ડૉડીયા

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

આપણા હિંદુ સમાજમાં ઘણાખરા પરિવારો એમ માને છે કે ઘરમાં ‘મહાભારત’નો ગ્રંથ રાખીયે તો ઘરમાં મહાભારત સર્જાય છે..!..શા માટે આ માન્યતા ઘર કરી ગઇ છે..?આનું કારણ શોધવા બેસીયે તો છેડાઓ છેટ હાલના અફઘાનીસ્તાનના કાંધાર અને તે સમયનું ગાંધાર સુધી પહોંચે છે.

માતા સત્યવતીને કુરુવંસના યુવરાજની લાલશા જાગી હતી.ભીષ્મની પ્રતિજ્ઞાને લીધે સત્યવતી લાચાર હતાં.અતિસય કામવૃતિને કારણે યુવરાજ વિચિત્રવિર્ય નપુંશક બની ગયો હતો.તેને કોઇ રાજા કન્યા આપવા તૈયાર નહોતા.દેવવ્રત ભીષ્મ કાશીનરેશના સ્વયંમવરમાંથી ત્રણ કન્યાઓને એકીસાથે અપહરણ કરી લાવે છે.યુવરાજ વિચિત્રવિર્ય બાળક પેદા કરવાં અસમર્થ હોવાથી અપહરણ કરી લાવેલી ત્રણ પૈકીની બે કન્યા અંબીકા અને અંબાલીકા સાથે મુની દ્રેપાયન સાથે નિયોગ કરે છે.(નિયોગ એટલે પતિ સિવાય અન્ય પુરુષ સાથે સમાગમ કરી અને બાળકો પેદા કરવા).

આ નિયોગના કારણે અંબીકાના કુખે જન્મથી અંધ એવા ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે.જ્યારે અંબાલીકાની કુખે જન્મથી રોગીષ્ટ અને નિર્બળ એવા પાંડુનિ જન્મ થાય છે.

આ બંને યુવરાજો પુખ્ત થતા અંધ એવા ધૃતરાષ્ટ્ર શારીરિક રીતે સક્ષમ અને બાહુબળ ધરાવતો યુવાન બને છે અને જન્મથી દુર્બળ એવા પાંડુ સામાન્ય હતા.

બંને યુવરાજો પુખ્ત થતાં દાદી સત્યવતી બંને યુવરાજો માટે કન્યા શોધવાની તૈયારી આદરે છે.દાદી સત્યવતી વિચારે છે કે જો બંને યુવરાજો પરણીને કુરુવંશનો વેલો આગળ વધારે તો કુરુવંશ ઉપર લાગેલી’નિયોગ’ની ભયાનકતા દુર કરી શકાય.

એક દીવસ કુરુવંશના રાજપૂરોહિત કૃપાચાર્યને બોલાવીને સત્યવતી કહે છે કે.”આચાર્યશ્રી આં બને યુવરાજો માટે હવે કન્યા શોધવાની જવાબદારી આપના શીરે રહેશે.”

ત્યારે આચાર્ય જવાબ આપે છે,”જન્મથી અંધ એવા ધૃતરાષ્ટ્રને કોણ કન્યા આપશે..?”

તો સત્યવતી કહે છે,”તો પાંડુ માટે કન્યા શોધી આપો…!”

આચાર્ય જવાબ આપતા કહે છે,”રાજમાતા ! આપ તો જાણો છો કે પાંડુ પણ વિચિત્રવિર્યનાં માર્ગે છે.તે વ્યભિચારી બની ગયો છે.તે રોગથી પીડાય રહ્યો છે.આ રોગને કારણે તે પણ પુરુષાતન ગુમાવી બેઠો છે.”

કૃપાચાર્યની વાત સાંભળીને સત્યવતી ગુસ્સે થઇને કહે છે,”જાવ આચાર્ય ! રાજા કુંતીભોજની કન્યા છે અને તેના માટે માંગુ નાખો..!

ત્યારે આચાર્ય જવાબ આપે છે,”રાજમાતા ! ક્ષમા ચાહુ છુ ! એ કન્યા કુંતીભોજની નથી.તે એક યાદવ કન્યા છે અર્થાત એ વૃષીણકન્યા છે અને એનું નામ પૃથા છે..અને મહત્વની વાત એ છે કે એ કન્યા કુવાંરી છે છતાં સગર્ભા છે.”

એ વખતે કુંતિના પેટમાં કર્ણનો ઉદર વિકસી રહ્યો હતો.એક એકથી ચડીયાતા અનેક અવનવા અને ના સમજી શકાય એવા કિસ્સાઓ અને આધુનિક જમાનામાં જે વસ્તુઓ શકય નથી તેનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે..

આ સાંભળીને સત્યવતી ખિન્ન બની જાય છે અને આચાર્યને કહે છે,”આ વાત તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી ગોપીત રાખશો અને રાજા કુંતીભોજને મળીને એ કન્યાનું સગપણ પાંડુ સાથે નક્કી કરો.”

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries