વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 133 guests and no members online

મદદ

 


 



રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

ચિંતન શેલત



ડિટ્રોઈટ, મીશીગન, યુએસએ

https://www.facebook.com/cdshelat

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


એક દિવસ સવારે ઉઠી ને જોયું તો એ ત્યાં ન'તી, આ ન'તી એટલે શું? ન'તી એટલે કે એને સ્થાને હવે ત્યાં માત્ર અવકાશ છે, એટલે કે એ જગ્યા સાવ ખાલી નથી. આપણું કામ શિલ્પકાર જેવું છે, હવે હાથમાં ટાકણું લઈને આ અવકાશ ને ટાંચી ટાંચીને જગ્યા કરી આપવી પડે, એટલે આ આખાયે શહેરમાં રહેતાં બધાયને બતાવી બતાવી પૂછી શકાય, કે આને ક્યાંય જોઈ છે તમે?.

ઘણાંયે હા પાડી અને મારી છાતી તરફ આંગળીય ચીંધી, અને ઘણાંયે એકદમ કોઈ અદાકારનાં કારુણ્યથી માથું ધુણાંવતા ના પાડી, આ બીજા જે છે એમને હવે બાંધી રાખ્યા છે, સર્ક્યુલર રૂટની બસમાં, મણિનગર થી મણિનગર, ડેટ્રોઈટ થી ડેટ્રોઈટ, બેંગ્લોર થી બેંગ્લોર, મણિનગર- બેંગ્લોર - ડેટ્રોઈટ - આ પલંગ.

હવે મને રોજ રાત્રે સપના આવે છે. આ સપના એટલે એકદમ સાચું, સપના એટલે આ જીવીએ છીએ તે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

અનિલ જોશી અનિલ જોશી સરનું એક નવી પેઢી સમજે તેવાં સાહિત્યની જરૂર માટે નું સ્ટેટસ વાંચી ને આ લખવાનું મન થઈ આવ્યું, કહેવું હતું તો ઘણાં સમયથી પણ આજે કવિશ્રી ના સહકાર થી આ તક મળી છે. જો સાચે જ સિનીયર કવિઓ, લેખકો નો આમ જ સાથ હોય તો અમારી પેઢીમાં ઘણાં એવા નામો છે જે સાચે જ ખૂબ સારું કામ કરી શકે છે અને ખરેખર ગુજરાતી સાહિત્યનો સુવર્ણકાળ કહી શકાય એવું કામ કહી શકાય તેમ છે. જેને ખરેખર ૨૧મી સદીનું સાહિત્ય કહી શકાય એમ છે. પણ આપણાં કવિઓ ની અને લેખકોની એક ચોક્કસ સમજણ છે કવિતા વિશે ની અને એનાં સિવાયનું કશુંય કવિતા કહેવાવાને લાયક નથી એમ તેઓ માને છે. સારી ક્રીયેટીવીટી આમ બસ ફેસબૂક સ્ટેટસ અને રેડીયો વગેરેમાં વેડફાઈને રહી જાય છે.

આપણે જો મૂર્તિ બનાવવી હોય તો મૂર્તિનાં કદ અને એમાં બારીકીનાં પ્રમાણે આપણે ઓજારો વાપરીએ, બધી જ મૂર્તિ માટે એકસરખા ઓજાર ન વાપરી શકાય. તો અહીં અમને જેવું સંવેદન સાંપડે એ પ્રમાણે જ ભાષા ઉપયોગમાં લેવાય એ તદ્દન સ્વાભાવિક છે, અમારી પેઢી ગામઠી વાતાવરણ વચ્ચે કે ચારેબાજું ગવાતા ભજનોનાં ઢાળ વચ્ચે નથી ઉછરી. તો અમારી કવિતાઓમાં એ ના હોય એ સ્વાભાવિક છે.

હું મારી અને મારા સ્કૂલ ટાઈમનાં મારા મિત્રોની દ્રષ્ટિ થી વાત કરું તો, અમે ગુજરાતી ને ભાષા તરીકે પછી અને પહેલા એક વિષય તરીકે જોઈ છે, એક એવી પરીક્ષા જેમાં ખાલી પાસ થવાનું છે. અમે ગુજરાતી ભાષા ને પ્રેમ કરતા શીખ્યા જ નથી. આપણે માત્ર પરીક્ષાલક્ષી ભણીયે છીએ. તો અમારા માટે ગુજરાતી એક વિષય માત્ર હતો, એમાં શિક્ષક ને ભણાવતા ના આવડે એ અલગ અને એ પૂરું ના હોય તેમ ગુજરાતીના પેપર માં પૂરા માર્ક્સ કોઈ દિવસ ના મળે, કારણ કે આ ભાષા છે અને એમાં તમે કાયમ વધું સારું લખી શકો. કાવ્યપૂર્તિમાં તમે કાવ્ય બરોબર યાદ રાખીને લખ્યું હોય, જોડણી કે પછી અનુસ્વાર સુધ્ધાની ભૂલ ના હોય તો પણ સાહેબ અડધો માર્ક કાપી લે અને તમે પૂછવા જાઓ તો કહે "અરે ગાંડા! આટલા માર્ક્સ પણ ખુશ થઈ ને આપ્યા છે!"

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries