આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ખબરદાર મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે,
હિમ્મત હથિયાર બાંધી રે, સત્ય લડાઇએ લડવું છે.
પ્રેમ પલાણ કરી, જ્ઞાન ઘોડે ટઢી, સદગુરુ શબ્દ લગામ
શીલ સંતોષ ને ક્ષમા ખડગ ધરી, ભજન ભડાકે રામ
ધમૅ ઢાલ ઝાલી રે, નિભેૅ નિશાને ચડવું છે
સૂરત નૂરત ને ઇડા પિંગળા, સુખમણા ગંગાસ્નાન કીજે
મન પવનથી ગગન મંડળ ચઢી, ધીરા સુધારસ પીજે,
રાજ ઘણું રીઝે રે, ભજન વડે ભડવું છે.
જિંદગી આખી ચાલીને ચાલીને થાકી ગઇ છું
હવે તો ઉભા રહેવું છે
ભૂમિસોંતા જડાઇ જવું છે.
ચાલવામાં મને તો ખબરે ના પડી
કે કયારે વાયરો વાયો
કયારે સૂરજ ઉગ્યો
પાનખર વસંત ની આવનજાવનને એ
કેવું લૂમીઝૂમીને માણ્યા કરે છે
મારેય વષેૅ વષેૅ મારી વસંત ઉજવવી છે.
...
ધીમેથી પાંપણ ઊંચકીને
આજુબાજુ જોયું
કૂંણા પાંદડા પર બેઠેલી
ઝાંકળ થી મોં ધોયું
ત્યાં અધરો પર આવી બેઠી
કિરણ તણી એક લીટી
પારિજાતના ઘુંઘટ માંથી
એક કળી નીકળી ઓચિંતી
...
દેવના દરબારમાં મુજને કશોય રસ નથી
સત્ય કહું છું મારે એમાં આવવું ચોકકસ નથી
તે દિવસથી સ્વગૅ પ્રાપ્તિની તજી મેં ઝંખના
જાણવા જે દિ ‘ મળયું કે ત્યાં કોઇ માણસ નથી
...
મેં ગવૅ બધો મારો હૈયાને ઘાટ સમાવી દીધો છે
ને આપવડાઇનો સઘળો તલસાટ સમાવી દીધો છે
હું એ જ સમંદર છું કિન્તુ જગ મુજને બિંદુ સમજે છે
કારણ કે મેં નાહક કરવો ઘુઘવાટ સમાવી દીધો છે
...
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved |
![]() |