આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૬ નંગ સફરજન, ૨૫૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ તપકીરનો લોટ, ઘી ૭૫૦ ગ્રામ, ખાંડ, ગુલાબજળ.
રીત
સફરજનને છોલી છીણી નાંખવા, છીણને વરાળથી બાફી નાંખવા. ત્યાર બાદ છીણ, માવો, લોટ આ ત્રણે ભેગું કરી ખૂબ જ મસળવું. અને નાના નાના ગુલાબજાંબુ વાળવા, ઘી મુકીને તળવા, ગુલાબી રંગના તળવા, તાપ ખૂબ ધીમો રાખવો. ખાંડની ૧ાા તારની ચાસણી બનાવવી અને તળેલા ગુલાબજાંબુ ચાચણીમાં ડુબાડુબ બધા જ તૈયાર થયા પછી ઠંડા પડે એટલે ગુલાબજળ છાંટવું. ખૂબ સ્વાદિષ્ટ પોચા અને ફરાળીવાનગી છે.
-
જવાહરલાલ નહેરુZazi.com © 2009 . All right reserved |
Read more...