વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 111 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

સદાશિવ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


સોમવાર, તા.૨૭-૦૪-૨૦૦૯ સદા અને સવર્ત્ર સૌનું કલ્યાણ થાઓ સ્વામીશ્રી સદાશિવની ૨૭મી પૂણ્યતીથિ નિમિત્તે સ્વામીશ્રી સદાશિવ લિખિત “હુ કોણ છું?, કેમ જીવુ છું?, શું કરી રહ્યો છું?” પુસ્તકમાંથી સ્વામીજીએ આપેલ સ્વ-અલૌકિક ઓળખાણ, સ્વ-સ્થિતિ અને સ્વ-પ્રવૃત્તિનું નિર્દર્શન કરાવતા ૨૭ અવતરણો.

૧. સંવત ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭ આ ત્રણ વર્ષ દરમ્યાન અંબાજીમાં રહીને સાધના કરતો હતો, ત્યારે મને એટલે મારાં સ્થૂળ-સૂક્ષ્મ અને કારણ દેહને કેન્દ્ર કરીને કોઈ એક અલૌકિક શક્તિ સાધના કરતી હોય તેમ હું સ્પષ્ટ રીતે અનુભવ કરતો હતો, કેમકે તે વખતે મને નિમિત્ત બનાવીને જે કાંઈ સાધના થતી હતી તેમાંથી પ્રત્યક્ષ કોઈ પાસેથી સાંભળેલાં, જોયેલાં કે વાંચેલા ન હોય છતાં અદભુત પ્રકારના સાધનો મારી ઈચ્છા-અનિચ્છાની અપેક્ષા રાખ્યા વગર થયા કરતાં હતા. તથાપિ તે સાધનાકાળમાં હું એટલે કે મારી દ્રષ્ટાત્મક સ્થિતિ સતત જાગ્રત (સભાન) અવસ્થામાં હોવાથી હું તે સાધનાની પ્રતિક્રિયાસ્વરૂપ પરિણામ સાથે સારી પેઠે પરિચિત રહેતો કે જે પરિણામ મારે માટે અને બીજાઓ માટે પણ કલ્યાણકારી લાગતું હતું. તેથી હું આ અલૌકિક શક્તિની શરણાગતિ સ્વીકારીને સહેજે જે કાંઈ સાધના થાય તે થવા દેતો. (પાન ૫,૬)

૨. હું જાણતો હતો અને દરેકને કહેતો પણ હતો કે આપણી આ અલૌકિક પ્રવૃત્તિ પાછળ તે જ અલૌકિક શક્તિ કામ કરી છે કે જે મને પણ અલૌકિક અને અલક્ષિત રીતે સંચાલન કરી રહી છે. તેથી તમે કોઈ અભિમાન કરશો નહિ, પરંતુ પોતાને ભાગ્યશાળી માનો કે તમને નિમિત્ત બનાવીને મહાન અને કલ્યાણકારી કામ થઈ રહ્યું છે. (પાન ૭)






				
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries