આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
OFFICE:
2/A Nilkant Apartment
Beside surat district bank
Behind Pujara Eye Hospital
Near Narmad Library Char Rasta
Ghod dod Road, Surat.
Mobile : 098245 18863
Resi phone 0261 2252857
આજે મારા પપ્પાની ઉંમર ૭૨ વર્ષની છે. અઠવાડિયામાં બે વાર તો ફરસાણ ખાય છે, મીઠુ તો લગભગ રોજ થાળીમાં છુટુ લઈને આંગળી આંગળીએ ખાવાની ટેવ ધરાવે છે. એમનું વજન મારા કરતા ઓછું છે, બ્લડપ્રેશર તો આજે પણ ૧૨૦-૭૦ mm/Hg છે. પથારીમાં પડે તો ૧૫ સેકંડમાં નસકોરા બોલાવી શકે છે. બ્લડસુગર તો ઘણીવાર ઓછી થઈ જાય છે.
તો મારા પપ્પાના દાદા વિશે તો એવું કહેવાય છે કે એમને કોઈ જમવા બોલાવતા તો એંસી (૮૦) લાડવા તો ખાય જ. તો મારા પડોશી કાકા છે, ૮૦ વર્ષની ઉંમર છે. રોજ ૩૦ સિગારેટ પીએ છે, ફરસાણ રોજ ૫૦ગ્રામ ખાય છે, રાત્રે બે વાગ્યા સુધી ટી.વી. જુએ છે, મોડેથી ઊઠે છે. અને સૌથી અગત્યની વાત કે એમના નખમાં કોઈ રોગ નથી.
આ પાત્રો આપણા ભૂતકાળના પ્રતિનિધિઓ છે. આપણને ઈર્ષ્યા આવે એવું શારીરિક સ્વાસ્થય સૌંદર્ય ધરાવે છે. અને આપણી આજ અને આવતીકાલ શું કહે છે?
પ્રશ્ન ઃ-આસન કયારે કરવા જોઈએ? અથવા આસન કરવાનો શ્રેષ્ઠ સમય કયો?
જવાબ ઃ-આસન કરવાનો ઉત્તમ સમય જેવું કશું નથી. આસન કયારે કરો છો એના કરતાં આસન કેવા કરો છો એ વધારો મહત્વનું છે. હા, પહેલી નજરે ઉત્તમ સમય સવારનો ગણવામાં આવે છે પણ જેમને સવારનો સમય અનુકૂળ નથી. જેમ કે ઘરની સંભાળ રાખનારી ઘણી બેનો અથવા શિફટમાં કામ કરતાં માણસો તેઓ બપોરે અથવા સાંજે પણ આસનો કરી શકે.
પ્રશ્ન ઃ-આસનો જમ્યા પછી તરત થઈ શકે?
સામાન્ય પટાવાળાથી માંડી પ્રાઈમ મિનિસ્ટર સુધીની કક્ષાનાં માણસોમાં હ્યદયરોગનું પ્રમાણ જે ઝડપથી વધે એ જોતાં અને અમેરિકામાં થયેલા સર્વેક્ષણ મુજબ દુનિયામાં સૌથી વધુ હ્યદયરોગ થવાની શકયતા એશીયન ઈન્ડીયન છે એ જાણ્યા પછી વિચારશીલ માનવને ચિંતા થાય એ સ્વાભાવિક છે.
હ્યદયરોગ થવાનાં કારણો અને તેમાંથી મુકિત મેળવવા અંગે વિપુલ સાહિત્ય ઉપલબ્ધ હોવાં છતાં દેશ અને દુનિયામાં હ્યદયરોગ કેમ ઓછા થતા નથી? શું યોગ ખરેખર હ્યદયરોગમાંથી મુકિત અપાવી નહિ શકે?
પ્રશ્ન,
શવાસન સૌથી સહેલામાં સહેલું આસન છે? એ વાત કેટલે અંશે સાચીછે.
ઉત્તર,
શવાસન અંગે આ જ પ્રકારની સર્વસામાન્ય ખોટી સમજ સૌ કોઇનાં મનમાં છે. લગભગ બધાજ માનવો એવું માને છે કે મૃત શરીરની માફક જમીન પર પડી રહેવું અને એટલે જ યોગવર્ગમાં વિધ્યાર્થીને મનપસંદ આસન કરવાનું કહેવામાં આવે એટલે સૌ કોઇ સૌ પ્રથમ શવાસન જ પસંદ કરે છે. પણ તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે શવાસન યોગસાઘનાનું સૌથીઅઘરાંમાં અઘરુ આસન છે ઘણા લાંબા સમયની પ્રેકટીશથી શવાસન સિદ્ધ થાય છે.
પ્રાણાયામ વિષે ઘણા પ્રકારની સાચી ખોટી ગેરસમજ સમાજમાં પ્રર્વતતે છે. જનમાનસમાં ઘણા પ્રશ્નો ઉદભવે છે કે પ્રાણાયામ એટલે શું? પ્રાણાયામ કયારે કરવા જોઇએ? શું પ્રાણાયામથી અસ્થમાં ટી બી હદયરોગ જેવા રોગો મટે ખરા? શું એ વાત સાચી કે યોગ્ય ગુરુ વગર પ્રાણાયામ ન થઇ શકે? સ્ત્રી પ્રાણાયામ કરી શકે? રાત્રે સુતાં પહેલાં પ્રાણાયામ થાય કે કેમ? પ્રાણાયામ અને સિદ્ધિઓ વચ્ચે કંઇ સંબંધ ખરો કે? પ્રણાયામથી કુંડલીની શકિત જાગત થાય? ..વગેરે
આ બઘાં જ પ્રશ્નોનો વિચાર કરતાં એમ લાગે છે કે યોગમાર્ગમાં રસ ધરાવનાર ઘણા માનવોને મનમાણ પ્રાણાયામનાં અભ્યાસ અંગેભયની લાગણી રહી છે.
જો પ્રાણાયામને બરાબર સમજી લેવામાં આવે તો પ્રાણાયામ અંગેનીદ્વિધામાંથી બહાર નીકળી શકાય.
પ્રાાણાયામ બે શબ્દોનો સમન્વય છે. પ્રાણ અને આયામ. પ્રાણ એટલે પ્રાણશકિત આયામ એટલે કંટોલ સંયમ પ્રાણાયામ એટલે પ્રાણશકિત પર સંયમ. એવો પ્રાણાયામ નો શાબ્દિક અર્થ થાય.
-
પ્રેમચંદZazi.com © 2009 . All right reserved |
![]() |