દેવના દરબારમાં મુજને કશોય રસ નથી
સત્ય કહું છું મારે એમાં આવવું ચોકકસ નથી
તે દિવસથી સ્વગૅ પ્રાપ્તિની તજી મેં ઝંખના
જાણવા જે દિ ‘ મળયું કે ત્યાં કોઇ માણસ નથી
...
મેં ગવૅ બધો મારો હૈયાને ઘાટ સમાવી દીધો છે
ને આપવડાઇનો સઘળો તલસાટ સમાવી દીધો છે
હું એ જ સમંદર છું કિન્તુ જગ મુજને બિંદુ સમજે છે
કારણ કે મેં નાહક કરવો ઘુઘવાટ સમાવી દીધો છે
...