વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 201 guests and no members online

મદદ

 


 



રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

" ૐ નમઃ શિવાય ....ૐ નમઃ શિવાય .." ને મેં ત્રાંબા ની લોટી ના સમગ્ર દૂધ થી ભોલેનાથ નો દગ્ધીભીષેક કર્યો .

" અલ્યા હવે તો આફરો ચડ્યો છે હો..." ભોલેનાથ થી ના રહેવાયું ને એ બોલી પડ્યા .

" પણ બાબા , શ્રાવણ મહિનો છે એટલે લોકો ભક્તિભાવ થી અભિષેક તો કરવાના જ , એમાં છૂટકો જ નથી " મેં ભક્તોચિત દલીલ કરી.

" વાત તો સાચી છે પણ , બાકી ના મહિના , બધા ક્યાં જાવ છો ...!"

" અહીયાજ હોઈએ છીએ . ક્યાં જવાના? સોશીઅલ કામોમાં , નોકરી ધંધા ના કામ માં , એમ ક્યાંક ને ક્યાંક બીઝી હોઈએ . શું કરીએ ?, સંસારી જીવ છીએ તે આ બધી માયા માં પડ્યા સિવાય છૂટકો નહિ . પણ આ શ્રાવણ મહિનો છે તો સારું છે . એ બહાને મન થોડું ભક્તિભાવ માં પરોવાય છે ને ,હૃદય નિર્મળ થઇ જાય છે , . "

" પણ તમે એ તો વિચારો , પેલું ' અતિ સર્વત્ર વર્જય્તે ' વાળું બધા ને લાગુ પડે, મને પણ . આ એક મહિનો તમે રોજ મને દૂધ ચડાવવા આવો છો , પછી અગિયાર મહિના સુધી વસુલી કરો છો ..... આવી કોન્સન્ટ્રેટેડ ભક્તિ કરતા , બધો વખત ખરા દિલ થી નિર્મળ અને સાત્વિક ભાવ ધારણ કરવા નો પ્રયત્ન કરતા હો તો , "

" એય ચાલુ કર્યું છે હમણાં , રોજ સવારે યોગ કરીને મન ને 'ૐ' શબ્દ માં કેન્દ્રિત કરું છું . એક જગ્યા એ વાંચ્યું હતું કે , એમ કરવા થી રોગ માંથી મુક્તિ મળે , બી.પી. અને સુગર ની બીમારી ના થાય , "

" હં , એમાય કારણ છે એટલે , નહિ તો યોગ ને પણ કોણ યાદ કરવાનું "

" સાવ એવું નથી હોં , જુઓ આ મોબાઈલ માં તમારા ફોટો ને કેટલા સમય થી વોલપેપર તરીકે રાખ્યો છે , તમને યાદ તો રાખીએ જ છીએ પણ શું છે કે..."

“ એમ !... જેવો મંદિરમાં નાખ્યો છે એવો વોલપેપર માં રાખ્યોછે ...., “ ભોલે એ વચ્ચે જ વાત કાપી .

“ અરે પ્રભુ , કેમ આજે આમ તીખા મૂડ માં છો , એસીડીટી થઇ છે કે શું ?’

“ હા , આમ તો એક પ્રકારની અતિરેક ની એસીડીટી જ છે , લોકો દૂધ પી ને ઠારે, મારે દૂધ પી પી ને થઇ છે .”

“ પણ પ્રભુ , તમે ઘડેલા અમે માનવો , તમારી આપેલી મતિ પ્રમાણે જ કરીએ ને. અમે તો સારા નરસા પ્રસંગે તને યાદ કરીએ જ છીએ. રોજરોજ ની લાખો પળોજણ છે પ્રભુ . તમારે તો આ મૂંગા નંદી ની સામે જોઈ ને બેસી રહેવાનું . અમારે તો રોજ આવા કેટલાય નંદી સાથે રોજ શીંગડા ભેરવવા પડે છે . ક્યારેક શારીરિક , તો બહુધા માનસિક ઘાવ સાથે સાંજ પડે છે . તમે ભગવાન લોકો છો એટલે સારું છે , કાં તો અંતિમવાદી થઇ ને તમને ભાંડીએ , કાં તો આશાવાદી થઇ ને તમારા શરણે આવીએ .સમય અને સંજોગો માં મેળ બેસાડવાના પ્રયત્નો કરીએ. આ શ્રાવણ જેવા પવિત્ર મહિના આવે એટલે પુણ્ય ના પોટલા વાળી નસીબ ના ખાતે જમા કરી લઈએ , ભીડ પડે ત્યારે એનકેશ કરવા થાય .“

“ પણ એવા લોકો નું શું જેમના માટે સમય અને સંજોગોનો મેળ બેસાડવો , એ એમના હાથ ની વાત નથી . મને દૂધ ચડાવવા કરતા કોઈ ભૂખ્યા બાળક ને આપો , મારું મંદિર બાંધવા કરતા કોઈ બેઘર ને ખોરડું કરી આપો , આ સવારે મારા પર લાદી ને સાંજે કચરામાં નાંખો છો, એ ફૂલ પર ખર્ચ કરવાને બદલે , કોઈ નું અંગ ઢાકવા ને કપડું આપો . મેં તો વહેતા પાણી જેવી બુદ્ધિ આપી હતી , તમે એને બરફ ની જેમ જમાવી ને પોતાના સ્વાર્થ માં વાપરો તો કેમ ચાલે ...? “ ભોલે ની વાજબી દલીલો સામે હવે ટકવું મુશ્કેલ હતું , પણ માણસ છું , ખુદ ભગવાન સામેય હાર ન માનું નો અહમ . હવે દલીલ વ્યાપક બને એ પહેલા મુદ્દો પર્સનાલાઈઝ થાય તો ભોલેનાથ ને એટેક ના બદલે ડીફેન્સ ના રોલ માં આવવું પડે .

“ પ્રભુ તમારે બસ વાતો કરવી છે , તમે રહ્યા અલગારી , પાર્વતીજી જેવા સમજુ પત્ની અને ગણેશ જેવા હોશિયાર બાળકો હોય એટલે બધી ઠાવકાઈ કરી શકાય . અમારે તો ખુદ ના ખોરડા , અને બૈરા-છોકરા ના કપડા મામલે પણ કેટલા એડજસ્ટમેન્ટ કરવા પડતા હોય છે ખબર છે ..!, એમને ભણાવવાના , ટ્યુશન ના , ગાડી ના હપ્તા ના , દુકાન ના ભાડાના , મકાન ની લોન ના , .......”

" અરે બસ કર ભાઈ , ખમૈયા કર , જવાદે એ બધી વાત ને, હજી બીજી ઘણી અરજો સંભાળવાની છે ,શ્રાવણ મહિનામાં તો નવા નવા બનેલા કેબીનેટ મંત્રી જેવી હાલત છે ." કહેતાંક પ્રભુ એ એક આત્મીય સ્મિત સાથે મારી વાત ને અટકાવી ...
પાછા ફરતા ફરતા વિચારી જોયું તો લાગ્યું કે , હળવાશ ના ભાવ સાથે પણ આજે ભોલે એ જે માણસજાત ની ખેંચી એ સાવ ખોટી વાત તો નૈજ.
સ્વાર્થ નો સગો કરવામાં આપણે ઈશ્વર ને પણ બાકાત નથી રાખ્યો . એક પંક્તિ અંતે સુજી ગઈ ,

" હે ઈશ તું દુઃખ નું , એવું મને ભારણ દે ,
તેને યાદ કરું હું ,એવું કોઈક કારણ દે "

- મહેન્દ્ર પોશિયા, અમદાવાદ





Zazi.com © 2009 . All right reserved