આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જે સેવક અથવા અધિકારી રાજાની વ્યક્તિગત સેવા નહીં કરતા રાજ્યપાલનની જવાબદારીમાં સહયોગ આપે છે, તે સેવક કે અધિકારી ઉપર રાજા વિશેષ પ્રસન્ન થાય છે. કરણકે રાજાની વ્યક્તિગત સેવા માટે તો ઘણાં બુધ્ધિહીન એવા સેવા કમના નિપુણ દાસ દાસીઓ મળી રહે છે. પરંતુ રજ્યપાલન માટે તો રાજા તથા રાજ્યના વાસ્તવિક સ્વરુપ સાથે પરિચિત વિદ્વન બુધ્ધિમાનની અપેક્ષા હોય છે. આવા ઉચ્ચ કોટિના અધિકારી વર્ગ રાજાની આજ્ઞાનું પાલન કરતા હોવા છતાં રાજાના સ્થૂળ શરીર માત્રને સર્વસ્વ નથી માનતા. તેઓ રાજાના ધ્યેય, આદર્શ કે સિધ્ધાંત સાથે પોતાના ધ્યેય, આદર્શ કે સિધ્ધાંત વડે એકતા સાધતા રહિને જે રીતે સમગ્ર રાજ્ય સહિત રાજાનું હિત સધાય તે રીતે ઉપાય કરતા રહે છે. આ પ્રમાણેના અધિકારી વર્ગ ઉપર રાજા વધારે પ્રસન્ન થાય છે.
-
આનંદશંકર ધ્રુવZazi.com © 2009 . All right reserved |
Read more...