આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
રામેશ્વરની પૂણ્ય ભૂમિ હિન્દી મહાસાગર અને બંગાળના ઉપસાગરનો સંગમ થાય છે. ત્યાં તામિલનાડુમાં આવેલ છે. આ દ્વીપ પર પહોંચવા માટે મદ્ભાસથી રેલ્વે અથવા ધોરી માર્ગે તિરુચાલપલ્લી અને મદુરાઈ થઈને દરિયા કિનારે આવેલ મંડપ સુધી ગયા બાદ અહીંથી સમુદ્ભ પર બાંધવામાં આવેલ આઠેક કિ.મી.નો રેલ્વે પુલ ઓળંગ્યા પછી પાપ્બન નામનું રેલ્બે જંકશન આવે છે. અહીંથી એક રેલ્વે લાઈન ઉત્તરમાં રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર ૬૬૫ કિ.મી. દુર છે.
શ્રી રામચંદ્ભજી રાવણનો વધ કર્યા બાદ સીતાજીને લઈને પાછા ભારતની ધરતી પર આવીને ગન્ધમાદન પર્વત પર પડાવ નાંખ્યો. અહીં અનેક મુનિવરો સાધના કરી રહ્યા હતાં. તેમને વંદન કરીને શ્રીરામે બ્રહ્મહત્યાના પાપમાંથી મુકિત મેળવવાનો ઉપાય પૂછયો. ત્યારે મુનિવરો કહ્યું કે હે રઘુરાજ આપ શિવલિંગની સ્થાપના કરો અને મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કરો તો જ બ્રહ્મહત્યાના પાપમાંથી મુકિત મળશે.
આથી લંકા પરના આક્રમણ પહેલાં જે સ્થળે શ્રીરામે શિવજીનું રેતીનું શિવલિંગ બનાવીને આશીર્વાદ પ્રાપ્ત કરેલા તે સ્થળે જઈને શ્રીરામે આરાધના શરૂ કરી અને કૈલાસથી શિવલિંગ તથા કાશીથી બનાવીને ઉપાસના શરૂ કરી. કૈલાસપતિ પ્રસન્ન થયા અને જયોતિ સ્વરૂપે સૌને દર્શન આપીને આશીર્વાદ આપ્યા અને સર્વ પ્રકારના પાપમાંથી મુકિત આપી ત્યારબાદ શ્રી રામચંદ્ભજીની પ્રાર્થનાને વશ થઈને ભગવાન શંકર અહીં જયોર્તિલિંગ રૂપે સ્થિત થયા. આમ આમ જયોર્તિલિંગ શ્રીરામના ઈષ્ટદેવ તરીકે રામેશ્વરના નામથી પૂજાય છે.
આ પછી શ્રીરામે હનુમાનજીએ લાવેલા ગંગાજળથી જયોર્તિલિંગ ઉપર અભિષેક કરી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કર્યો. આથી આજે પણ રામેશ્વર જયોર્તિલિંગ ઉપર ગંગાજળ ચડાવવાનો મહિમા છે. ત્યારબાદ હનુમાનજીએ કૈલાસથી લાવેલ શિવલિંગની સ્થાપના કરીને તેને હનુમહીશ્વર નામ આપીને આદેશ આપ્યો કે સવારે રામેશ્વર જયોર્તિલિંગના પૂજન પહેલાં અવશ્ય હનુમહીશ્વર મહાદેવનું પૂજન કરવું. અને આજે પણ તે મુજબ જ પુજન થાય છે.
અત્યારનું રામેશ્વરનું ભવ્ય મંદિર સત્તરમી સદીના અંતમાં સિલોનનાં (હાલનું શ્રીલંકા) રાજાએ બંધાવ્યું હતું. આ મંદિર હજાર ફૂટ લાંબુ અને છસો પચાસ ફૂટ પહોળું છે. અને ચારે દિશામાં એક એક પ્રવેશદ્વાર છે. જેની ઉપર કલાત્મક ગોપુરમ છે. સિંહદ્વાર પરનો ગોપુરમ આશરે નેવું ફૂટ ઊંચો છે. અહીંથી પ્રવેશતાં જ પ્રસિદ્ધિ પ્રદક્ષિણા માર્ગ આવે છે. જેની લંબાઈ જ ચાર હજાર ફૂટ છે. પ્રમાણમાં મોટા ઓટલા પર રામેશ્વર મંદિર આવેલ છે. તે આશરે સવાસો ફૂટ ઊંચુ છે. જેમાંથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અમુલ બળનું વરદાન આપ્યું.
આ જયોર્તિલિંગ મોટા અને કાળા પથ્થરનું ઊંચા થાળાવાળું બાણ છે. જે ખરેખર તો રેતીનો ઢગલો છે. અને તેને સોનાનો મુગટ પહેરાવેલો રાખે છે.
રામેશ્વર જયોર્તિલિંગ ઉપર શેષનાગની સપ્તમુખી ફેણનું છત્ર રહે છે. અહીં જયોર્તિલિંગ પર ગંગાજળ ચઢાવવા માટે ફી ભરવી પડે છે. તેમજ જળપાત્ર પરત કરવામાં આવતું નથી આ મંદિરની આસપાસ અસંખ્ય તીર્થસ્થાનો છે. જેમાં લક્ષ્મણતીર્થ મુખ્ય છે.
પામ્બન રેલ્વે સ્ટેશનથી બીજા અગત્યના તીર્થસ્થાન ધનુષ્કોડી જવા માટે ટ્રેઈન મળે છે. લંકા વિજય બાદ ભગવાન શ્રીરામે ભારત પાછા ફરીને વાનર સૈન્યે વિરાટ સમુદ્ભમાં પથ્થરો નાંખીને બનાવેલ સેતુબંધને પોતાના ધનુષમાંથી તીર છોડીને સમુદ્ભમાં ડુબાડી દીધો હતો. એટલે આ તીર્થ સ્થાનનું નામ ધનુષ્કોડી પડયું અહીં મુખ્ય મંદિરમાં ચાંદીનું શ્રીરામચંદ્ભજીનું ધનુષ્ય છે અને તેની ખૂબ ખૂબ પૂજા થાય છે.
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved |
Read more...