Print
Parent Category: આરોગ્યગ્રામ
Category: જીવન યોગ

User Rating: 5 / 5

Star ActiveStar ActiveStar ActiveStar ActiveStar Active
 

પ્રાણાયામ વિષે ઘણા પ્રકારની સાચી ખોટી ગેરસમજ સમાજમાં પ્રર્વતતે છે. જનમાનસમાં ઘણા પ્રશ્નો ઉદભવે છે કે પ્રાણાયામ એટલે શું? પ્રાણાયામ કયારે કરવા જોઇએ? શું પ્રાણાયામથી અસ્થમાં ટી બી હદયરોગ જેવા રોગો મટે ખરા? શું એ વાત સાચી કે યોગ્ય ગુરુ વગર પ્રાણાયામ ન થઇ શકે? સ્ત્રી પ્રાણાયામ કરી શકે? રાત્રે સુતાં પહેલાં પ્રાણાયામ થાય કે કેમ? પ્રાણાયામ અને સિદ્ધિઓ વચ્ચે કંઇ સંબંધ ખરો કે? પ્રણાયામથી કુંડલીની શકિત જાગત થાય? ..વગેરે

આ બઘાં જ પ્રશ્નોનો વિચાર કરતાં એમ લાગે છે કે યોગમાર્ગમાં રસ ધરાવનાર ઘણા માનવોને મનમાણ પ્રાણાયામનાં અભ્યાસ અંગેભયની લાગણી રહી છે.

જો પ્રાણાયામને બરાબર સમજી લેવામાં આવે તો પ્રાણાયામ અંગેનીદ્વિધામાંથી બહાર નીકળી શકાય.

પ્રાાણાયામ બે શબ્દોનો સમન્વય છે. પ્રાણ અને આયામ. પ્રાણ એટલે પ્રાણશકિત આયામ એટલે કંટોલ સંયમ પ્રાણાયામ એટલે પ્રાણશકિત પર સંયમ. એવો પ્રાણાયામ નો શાબ્દિક અર્થ થાય.



તે પછી પ્રાણાયામ શા માટે શીખવા જોઇએ શારીરિક ફાયદાની દષ્ટિએ વિચારીએ તો પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રાણાયામ કરવાથી અનેક શારીરિક ફાયદાઓ થાય છે.

પુખ્તવયનાંશરીરમાં આશરે કરોડ કોષ એટલે શરીરનો નાનામાં નાનો અવયવ. આ પ્ર ત્યેક કોષને પ્રત્યેક સેકંડે એક જ વસ્તુનીજરુર રહે છે અને તે ઓકિસજનની જો આપણાં લોહીનાં પરિભ્રમણ દ્વારા લોહીમાં રહેલો ઓકિસજન જે તે કોષને સતત મળતો રહે તો સ્વાસ્થાયુષ્ય બની રહે અને કોષોને ઓકિસજન ન મળે તો અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે. ઘણીવાર પિકચરમાં અથવા ટીવીમાં ઓપરેશનનું દશ્ય બતાવવામાં આવે છે ત્યારે અચાનક બીપ બીપ એવો અવાજ સંભળાય છે. જો તમે ઘ્યાનથી જોશો તો દેખાશે કે પેશન્ટનાં હાથની એક આંગળી પર એક સાધનની કલીપ પહેરાવવામાં આવી હોય છે, જે સાધન સતત પેશન્ટનાં લોહીમાં રહેલા ઓકિસજનનુ પ્રમાણ ચેક કરે છે. જો પેશન્ટના લોહીમાં ઓકિસજનનું પ્રમાણ

અમુક લેવલ કરતાં ઓછું થાય ત્યારે પેશન્ટ ને બેભાન કરનાર ડોકટરનૂં ધ્યાન ખેંચવા માટે તરત જ તે સાધનમાંથી બીપ બીપ બીપ એમ અવાજ થાય છે. આ અવાજ સાંભળતાં જ ડોકટર બધા જ કામ પડતાં મુકી પેશન્ટને વધુ ઓકિસજન મળે એ માટે પ્રયત્નો કરે છે. જેથી પેશન્ટને થનારા નુકશાનને અટકાવી શકાય.

આ ગરમીનાં દિવસોમાં અત્યંત ઉપયોગી પંખા કે એ.સી. મશીનની ખરીદી રુપિયાથી થાય છે. આપણે જે કોઇ સ્કુટર ગાડી વાપરીએ છીએ તે વાહન પણ રુપિયાથી ખરીદીએ છીએ. પણ એ પંખો કે સ્કુટર રુપિયાથી ચાલતા નથી, પણ પંખો ઇલેકટીક સીટીથી કે વાહન પેટોલથી ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો પંખાનો ડાઇવીંગ ફોર્સ ઇલેકટીસીટી છે. જયારે સ્કુટરનો ડાઇવીંગ ફોર્સ પેટોલ છે.

યેગશાસ્ત્રનાં મતાનુસાર મનનો ડાઇવીંગ ફોર્સ શ્વાસ છે. સ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા અને મનની સ્થિતિ એ એક જ સિકકાની બે બાજુ છે. એનો અર્થ એ થયો કે માનવનો શ્વાસ ઊત્તમ રીતે ચાલતો હોય એમનું મન શાંતૃિ સ્િ થરતા અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. પરંતુ મારો છેલ્લા છ વર્ષનો અનુભવ તો કહે છે કે પ્રાય માણસોનો શ્વાસ એકદમ ટૂંકો છીછરો, અનિયમિત અને અનિયંત્રિત છે.

પ્રાણાયામની તાલિમ શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાની તાલીમ છે. મનને નિયંત્રણમાં રાખવાની તાલીમ છે. પ્રાણાયામ શ્વાચ્છોશ્વાસની કસરત Breathing exercise નથી. નાના મોટા સૌ જે સ્ટે્રસ અનુભવાય છે. તેની અસર ઓછી કરનારુ સાધન એટલે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે હેલ્થ આપનારો માર્ગ કારણ Health is not merely an absence of disease, but stale of physical, mental & social well being.