સ્વામીજીએ કહ્યું, દંડવત પ્રણામ એટલે શું? દંડ એટલે શું? તમે લાકડા જેવા થઈ જશો તો તમારામાં રહેશે શું? વિચાર કરો. ભકિતભાવ એમને એમ ઉપજી જાય છે? આ પહેલાં મને કોઈ વાર જોયો છે? મને ઓળખતા નથી, મારામાં રહેલા ગુણદોષ જાણતાં નથી, હું બોલું છું એ પ્રમાણે વર્તું છું કે નહિ, એ પણ તમને ખબર નથી, તો તમે મને દંડવત પ્રણામ કેવી રીતે કરે શકો? અહિં આવો , બેસો, પૂછો, જુઓ, અયોગ્ય લાગે તો બહાર જઈને ધરાઈને નિંદા કરો, યોગ્ય લાગે તો સ્વીકારો, પછી જ વંદન કરો. (ગમે તેવા લોકો ને પગે લાગી ને) આમાંતો તમે તમારું વ્યકિતત્વ કચડિ નાંખો છો. તમારું વ્યકિતત્વ હંમેશાં જાળવી રાખો.
શ્રી સદાશિવ
સદા ને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ.