Print
Parent Category: ચિંતન
Category: સદાશિવ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



સ્વામીજીએ કહ્યું, દંડવત પ્રણામ એટલે શું? દંડ એટલે શું? તમે લાકડા જેવા થઈ જશો તો તમારામાં રહેશે શું? વિચાર કરો. ભકિતભાવ એમને એમ ઉપજી જાય છે? આ પહેલાં મને કોઈ વાર જોયો છે? મને ઓળખતા નથી, મારામાં રહેલા ગુણદોષ જાણતાં નથી, હું બોલું છું એ પ્રમાણે વર્તું છું કે નહિ, એ પણ તમને ખબર નથી, તો તમે મને દંડવત પ્રણામ કેવી રીતે કરે શકો? અહિં આવો , બેસો, પૂછો, જુઓ, અયોગ્ય લાગે તો બહાર જઈને ધરાઈને નિંદા કરો, યોગ્ય લાગે તો સ્વીકારો, પછી જ વંદન કરો. (ગમે તેવા લોકો ને પગે લાગી ને) આમાંતો તમે તમારું વ્યકિતત્વ કચડિ નાંખો છો. તમારું વ્યકિતત્વ હંમેશાં જાળવી રાખો.

શ્રી સદાશિવ
સદા ને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ.