Print
Parent Category: ચિંતન
Category: સદાશિવ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



આશિવૉદનો અથૅ થાય છે આશાવાન થાઓ, એમ કહેવું, તે આશીવૉદ. જીવનમાં મહત્વકાંક્ષા રુપી મહાન આશાઓને કેન્દ્ર બનાવીને જીવનનું ઘડતર કરો. મુખ્યત્વે લોકો વ્યકિતગત જીવનને કેન્દ્ર બનાવીને જ અનેક પ્રકારના સુખ સગવડ માટે પ્રયાસ કરે છે. આવા તુચ્છ પ્રયાસોને મહત્વકાંક્ષા કહી શકાય નહીં. જે કાંઈ પ્રયાસ કરવામાં આવે તેતો વ્યક્તિને જ કેન્દ્ર કરીને થઈ શકે છે. પરંતુ આકાક્ષાઓ ફ્ક્ત વ્યક્તિને કેન્દ્ર બનાવીને કરી શકાય નહીં. તમારી આશા અને આકાંક્ષાઓ જેમ જેમ વિશાળ થશે તેમ તેમ તમારાં જીવનની મહત્તા તમે સમજી શકશો. અને આનંદની માત્રા પણ વધવા માંડશે. માટે મહત્વાકાંક્ષી થાઓ તેવી માં ભગવતી પાસે પ્રાથૅના કરું છું.