વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 466 guests and no members online

મદદ

 


 



રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

છ વર્ષના એક બાળકને વોમિટની ફરિયાદ માટે મારી પાસે લાવવામાં આવ્યું. બાળકને રોજ બે-ત્રણ વોમિટ થાય. બાળકને ખવડાવો કે થોડીવારમાં વોમિટ કરી નાખે. ભૂખ્યો રહે તો કંઈ ન થાય. ખાય કે તરત જ થોડીવારમાં વોમિટ કરી નાખે.

અનેક બાળરોગ નિષ્ણાત, બાળકોના સર્જન, પેટના રોગના નિષ્ણાતોની મદદ લેવાઈ ચૂકી હતી. ત્રણ વર્ષથી આ ચક્ર ચાલતું હતું. એકસ-રે, સોનોગ્રાફી, ગેસ્ટ્રોસ્કોપી (પેટમાં નળી નાંખીને જોવુંભ, બેરિયમ સ્ટડી વગેરે બધું જ થઈ ચૂકયું હતું. કોઈ તારણ નહીં, કોઈ ફાયદો નહીં.

કોઈની સલાહથી બાળકને મારી પાસે લઈ આવનાર માબાપને વધુ અપેક્ષા ન હતી. પરંતુ હું આ અગાઉ આ જ પ્રકારની તકલીફ ધરાવતાં આઠ-દસ બાળક જોઈ ચૂકયો હતો. મારે માત્ર અમુક સવાલ પૂછીને ખાતરી કરવાની હતી.

મેં પૂછયું "બાળક પોતે જમવાની કદી ઈચ્છા કરે છે?" માતાએ કહ્યું, "ના, અમારે બળજબરીથી જમાડવો પડે છે" મેં પૂછહ્યું, "કયારથી?" માતાએ કહ્યુઢ, "એ તો પહેલેથી જ એવો છે." મંે પૂછયું, "નહીં જમે તો બારીમાંથી બહાર ફેંદી દઈશ, એવી ધમકી બાળકને કદી આપી છે?" પપ્પાએ કહ્યું, "ઘણી વાર! બાળક જમી લે તે માટે મમ્મીએ ઘર છોડીને ચાલ્યા જવાની કે ઝેર પીને મરી જવાની ધમકી પણ આપવી પડે છે." મમ્મીએ ઉમેર્યું, "આવું કરીએ તો જ જમે છે." પપ્પાએ ઉમેર્યું, "પછી થોડી જ વારમાં વોમિટ કરી નાખે છે."



તો આ હતી બાળકની તકલીફ! એક ત્રણ-ચાર વર્ષના સમજદાર બાળકને જયારે ભભૂખ લાગે ત્યારે એની મરજી મુજબ એને જે ભાવે તે, એને જેટલું ભાવે તેટલું ખાય. એટલું સમજવાને બદલે સળગતી મીણબત્તી કે ચપ્પુથી ડરાવીને, એપાર્ટમેન્ટની બારીએથી ફેંકી દેવાની ધમકી આપીને, (કોઈ અતિશયોકિત નથી, ન જમનાર બાળકને બારીની બહાર ઊંચે લટકાવી રાખનાર કે બાથરૂમમાં પૂરી દેનાર મમ્મીઓ મેં પ્રત્યક્ષ જોઈ છે.ભ ઝેર પીને મરી જવાની ધમકી આપીને બાળકને પોતાની મરજી મુજબ ખવડાવવા માગતી માતાઓનો કોઈ તોટો નથી. ગભરાઈ ગયેલું બાળક પહેલાં તો મન-કમને જમી લે છે, પરંતુ પછી તરત વોમિટ કરી નાખે છે.

અમુક આત્યંતિક કિસ્સાઓમાં કુદરતી રીતે જ બાળકને ખોરાકથી એટલી નફરત થઈ જાય છે અને જમાડવાની ક્રિયાની એટલી ફડક એના મનમાં પેસી જાય છે કે બળજબરી ન કરવામાં આવે તોપણ જમતી વેળા ઊબકા ચાલુ થઈ જાય છે. જેવું ઉપર જણાવેલ કિસ્સામાં બન્યું હતું.

માત્ર માતાપિતાને ભૂલનો ખ્યાલ આવવાથી, બાળકની સામે એમની ભૂલનો એકરાર કરાવવાથી અને તેઓ હવેથી એવું નહીં કરે એની ખાતરી આપવાથી જ બાળક સારું થઈ જાય છે.

જેમના ઘરે આવી બળજબરી થતી હોય, એવાં બાળકો પોતાને ઘરે ન ખાય, પણ પાડોશીને ત્યાં જમી લે. સ્કૂલમાં મિત્રના ટિફિનમાંથી ખાઈ લે. રાત્રે મોડેથી પપ્પાની સાથે પપ્પાના હાથે કદાચ ખાઈ લે, પરંતુ મમ્મીની વિનવણી કે બળજબરીને તાબે તો ન જ થાય. આમ, આ પ્રશ્ન બાળકને ભૂખ ન લાગવા અંગેનો નથી. બાળકની ભોજન અંગેની સ્વતંત્રતાનો આદર ન કરવાથી ઉત્પન્ન થતો પ્રશ્ન છે અને એને કારણે માતા અને બાળકનાં વણસેલા સંબંધોના પ્રશ્ન છે.

માતાએ પોતે માની લીધેલી જવાબદારી, બીજાનાં બાળકોને જોઈને થતી દેખાદેખી, ઈર્ષા કે પોતાનું ધારેલું જ કરાવવાની જીદને કારણે આવું થાય છે. બાળકોને પોતાને ભૂખ લાગશે ત્યારે પોતે માગીને ખાશે, આટલું સાદું સત્ય ન સમજવાને કારણે મમ્મીઓ પોતે પારાવાર પીડા ભોગવે છે, અને બાળક તેથીય વધુ પીડા ભોગવે છે. બાળકને દર ચાર કલાકે ભૂખ લાગતી હોય તો દર ત્રણ કલાકે જમવાનું હાજર કરી ભૂખ શું છે એનો અહેસાસ જ એને થવા દેવામાં આવતો નથી. ભૂખ શું છે, એ જે ન સમજે, તે વળી ભોજન શું છે એ કયાંથી સમજે?

 

Zazi.com © 2009 . All right reserved